મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન


SHARE













મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન

મોરબીમાં ગુરુવારે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે. અને મોટાભાગના કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન આ કમોસમી વરસાદ પહેલાના ભારે પવનના લીધે થયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં 650 જેટલા સિરામિકના કારખાના આવેલ છે અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી 450 જેટલા સિરામિકના કારખાનાઓ બંધ થઈ ગયા છે જોકે ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલ ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઇ છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ સહિતના વિસ્તારમાં કારખાનાઓ આવેલા છે તેમાંથી મોટાભાગના સિરામિક કારખાનાઓમાં ગુરુવારે ભારે પવનના કારણે શેડના પતરા ઉડી ગયા છે જેથી કરીને કારખાનેદારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જોકે, સદનસીબે હાલમાં કારખાના બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા જેથી કરીને કોઈ જગ્યાએ જાનહાની થયેલ નથી.

વધુમાં માહિતી આપતા સિરામિક ઉદ્યોગપતિ ધવલભાઈ રાંકજાએ જણાવ્યુ હતું કે, ખેતી અને ઉદ્યોગ બંનેમાં ભારે પવનના લીધે નુકશાન થયું છે અને મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો જુદાજુદા વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનામાંથી ઘણા કારખાનામાં શેડના પતરાં તૂટી કે પછી ઊડી ગયા છે જેથી કરીને પ્રત્યેક કારખાનેદારને હાલમાં 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન થયું છે.






Latest News