મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ


SHARE











મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ

મોરબી જિલ્લામાં ગુરુવારે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ તથા ભારે પવનના લીધે ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને જીરું, ચણા, લસણ, ઘઉં સહિતના પાકો તૈયાર હતા તેના ઉપર કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે

રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી દરમિયાન ગુરુવારે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાંચેય તાલુકામાં ભારે પવન ઉપાડ્યો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ પણ થયો હતો જેના લીધે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો તૂટી પડ્યા હતા કારખાનાના પતરા ઉડી ગયા હતા અને ખેતીના પાકની વાત કરીએ તો ખેતીના પાકમાં પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી તાલુકાના ઘુટુ ગામના માજી સરપંચ દેવજીભાઇ પરેચા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘુટુ ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ચણા, લસણ, જીરું, ઘઉં સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા જેને લણવા માટેની કામગીરી ચાલુ હતી અને ચણા, જીરું તથા લસણ ના પાથરા કરીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં રાખવામાં આવ્યા હતા જોકે તે પાથરા ઉપાડવામાં આવે ત્યારે પહેલા ગઈકાલે ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદ થવાના કારણે તૈયાર પાકમાં નુકસાન થયું છે આમ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર આપવામાં આવે તો ખેડૂતો આગામી સિઝનમાં બિયારણ લઈને પોતાના ખેતરની અંદર વાવેતર કરી શકશે નહીં તો ખેડૂતો પાયમાલ થઇ જશે તેવું હાલમાં જણાવી રહ્યા છે




Latest News