મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ


SHARE











મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ

મોરબી જિલ્લામાં ગુરુવારે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ તથા ભારે પવનના લીધે ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને જીરું, ચણા, લસણ, ઘઉં સહિતના પાકો તૈયાર હતા તેના ઉપર કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે

રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી દરમિયાન ગુરુવારે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાંચેય તાલુકામાં ભારે પવન ઉપાડ્યો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ પણ થયો હતો જેના લીધે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો તૂટી પડ્યા હતા કારખાનાના પતરા ઉડી ગયા હતા અને ખેતીના પાકની વાત કરીએ તો ખેતીના પાકમાં પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી તાલુકાના ઘુટુ ગામના માજી સરપંચ દેવજીભાઇ પરેચા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘુટુ ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ચણા, લસણ, જીરું, ઘઉં સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા જેને લણવા માટેની કામગીરી ચાલુ હતી અને ચણા, જીરું તથા લસણ ના પાથરા કરીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં રાખવામાં આવ્યા હતા જોકે તે પાથરા ઉપાડવામાં આવે ત્યારે પહેલા ગઈકાલે ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદ થવાના કારણે તૈયાર પાકમાં નુકસાન થયું છે આમ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર આપવામાં આવે તો ખેડૂતો આગામી સિઝનમાં બિયારણ લઈને પોતાના ખેતરની અંદર વાવેતર કરી શકશે નહીં તો ખેડૂતો પાયમાલ થઇ જશે તેવું હાલમાં જણાવી રહ્યા છે






Latest News