મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
SHARE
મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
મોરબી શહેરમાં નેહરુ ગેટ નાસ્તા ગલી, સનાળા રોડ ભક્તિ નગર સર્કલ પાસે ટોટલ 16 જગ્યા ફૂડ વિભાગે ચેક કર્યું હતું અને જુદીજુદી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના લીધા છે અને તેને લેબમાં મોકલાવવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે.
મોરબીમાં ફુડ શાખા દ્વારા જિલ્લાના ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને મોરબી મહાનગર પાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં નેહરુ ગેટ નાસ્તા ગલી, સનાળા રોડ ભક્તિ નગર સર્કલ પાસે ટોટલ 16 ખાધ્ય પદાર્થની પેઢીની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ટોટલ 10 નમૂના લેવામાં આવ્યા જેમાંથી 8 સર્વેલન્સ સેમ્પલ તથા 2 એન્ફોર્સમેંટ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં વિશ્રાંતિ ગૃહ હોટલમાંથી બટેકાનું શાક, ઢોકડીનું શાક તથા સેવટમેટાનું શાકના નમૂના લેવામાં આવ્યા હતા., શિવા પાણીપૂરીમાંથી પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, વિશ્વાસ નાસ્તાહાઉસમાંથી બટેકાનું શાક, ભેળ, મીક્ષભજીયાના નમૂના લેવામાં આવ્યા છે તો ભક્તિનગર સર્કલ પાસે આવેલા BIGBOSS HOTEL માંથી પંજાબી શાકની ગ્રેવી અને દાળના નમૂના લેવામાં આવ્યા છે હાલમાં ફૂડ અધિકારી દ્વારા જે પણ નમૂના લેવામાં આવેલ છે તે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે આ નમૂના લેબોરેટરી ફેલ થસે તો FSSAI ACT.2006 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઇવમાં ટોટલ 7 કિલો ચટણી અને 10 લિટર દાજયું તેલનો હોટલ અને રેસ્ટોરન્ટમાંથી નાશ કરાયો હતો