મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો
SHARE
મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો
સરકારના લોકકલ્યાણકારી અભિગમને છેવાડા ના માનવી સુધી પહોંચાડવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર સેવાસેતુ 2.0 કાર્યક્રમનું આયોજન તાલુકા શાળા મણીમંદિર પાસે અને વજેપર વાડી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. અને ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો આવ્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, જન્મ પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી કાર્ડ ,મેડિસિન સારવાર, ઘરેલું વીજ જોડાણ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, બેસ કનેક્શન પાસ, જેવા અન્ય સરકારી યોજનાઓના ફોર્મ અરજી સ્વીકારવાની સાથે સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. આ કાર્યક્રમનું પારદર્શક રીતે કામગીરી થાય અને સફળ આયોજન બનાવવા માટે મહાનગરપાલિકાનાં સ્ટાફ અને વિવિધ વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.