મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન


SHARE







મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન

ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે 22 માર્ચ 2026 રવિવાર ના રોજ સવારે 8.30 કલાકથી ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન છે જેમાં સર્વે સનાતની ભાઈ બહેનોને પરિવાર સાથે લાભ લઇ શકે છે

છેલ્લા પાંચ વર્ષથી ચૈત્રી નવરાત્રી પ્રથમ રવિવારે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આ પરિક્રમાનું સુંદર આયોજન થઈ રહેલ છે. જેમાં ગત વર્ષે સવા લાખથી વધુ માય ભક્તોએ એક જ દિવસમાં આ પરિક્રમા કરી ધન્યભાગી થયેલા છે. આ વર્ષે 22 માર્ચ રવિવારે પરિક્રમા પૂર્વે માતાજીના ડુંગર તળેટીમાં આવેલ નવ ગ્રહ મંદિર ખાતે ધર્મસભાનું સવારે 8.30 કલાકે યોજાશે. જે ધર્મ સભામાં જગતગુરુ શ્રીશ્રી 1008 ગર્ગાચાર્ય મહારાજ પીઠાધેસ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહેશે સાથે જ માર્ગદર્શક સંતો આત્માનંદ સરસ્વતી (બોટાદ), શંભુનાથજી ટૂંડીયા (ઝાંઝરકા), પ્રેમબાપુ સતરંગની જગ્યા, મનસુખ ગીરીબાપુ (ચામુંડા માતાજી મંદિર મહંત પરિવાર-ચોટીલા), વાલજી ભગત ઠાકરની જગ્યા કાળાસર, ભરત બાપુ ખાચર (લોમેવધામ ધજાળા)કાશીગીરીબાપુ (બોરીયા નેસ) વિગેરે હાજર રહેશે. અને આ સંતો દ્વારા પરિક્રમાની શરૂઆત કરાવવામાં આવશે. પરિક્રમા બાદ સનાતનીઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે. આ પરિક્રમાનો કુલ સાડા પાંચ કિલોમીટરનો રૂટ છે જે અંદાજે બે કલાક જેટલા સમયમાં પગપાળાથી કરી શકાશે સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આ પરિક્રમાનો લાભ લેવા માટે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત વતી ખાસ અપીલ કરવામાં આવે છે.






Latest News