મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી


SHARE











માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટી બરાર ગામે તાજેતરમાં બનેલ વીજપોલ ધરાશાય અને ત્યારબાદ લાંબા સમય સુધી વીજ લાઈન ચાલુ રહી જવાની ઘટનાને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગયેલ છે અને આ ઘટનાને માત્ર એક સામાન્ય દુર્ઘટના તરીકે નહીં જોતા, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.

હાલમાં કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હાઈ વોલ્ટેજ વીજ લાઈનો ખેતરોમાંથી પસાર થતી હોવાથી સંભવિત જોખમોને અવગણવામાં આવી શકે નહીં. તેમણે સૂચન કર્યું હતું કે જ્યારે પણ સરકાર અથવા કોઈ કંપની દ્વારા હાઈ વોલ્ટેજ વીજ લાઈનો નાખવામાં આવે છે ત્યારે ખેડૂતો દ્વારા અગાઉથી લેખિતમાં સ્પષ્ટતા લેવાઈ જોઈએ. તેમણે વધુમાં ટંકારા, મોરબી તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ બાબતે સજાગ રહેવા અને પોતાના હક્કોની રક્ષા માટે એકજૂટ થવાનું આહવાન કર્યું હતું. આટલું જ નહીં કોઈપણ દુર્ઘટના બને ત્યારે જવાબદારી કોની રહેશે, તેમજ નુકસાન કે જાનહાનિ થાય તો વળતર અંગેની જોગવાઈ શું હશે તે મુદ્દાઓ સ્પષ્ટપણે લેખિતમાં લેવાની જરૂરી છે. આથી ભવિષ્યમાં ખેડૂતોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. તેમજ કંપનીઓ અને સંબંધિત તંત્ર દ્વારા સુરક્ષા માપદંડોનું કડક પાલન થાય તે પણ અત્યંત આવશ્યક ગણાવાયું છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રમેશ રબારી દ્વારા આપવામાં આવેલા સૂચનોને સમર્થન આપ્યું હતું.






Latest News