મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE













મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા સોમવારેના રોજ રાતે શહીદોને શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જાણીતા વકતાઓ આવશે જેથી કરીને રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર કાર્યક્રમમાં આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ૧૪ વર્ષથી ૨૩ માર્ચને ભગતસિહ, રાજ્યગુરુ અને સુખદેવ તથા દેશ માટે આપેલા બલિદાનીઓને બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે કૂપવાડામાં બલિદાન થયેલ રમેશજી પટેલના ધર્મ પત્નીને તા ૧૯/૩/૨૦૨૬ નારોજ ૫,૧૧,૦૦૦ દાન આપવામાં આવેલ છે આ દાન પેકેજિંગ એસો. દ્વારા આપવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા ૨૩ ને સોમવારેના રોજ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, દેવ ફાર્મ સામે એસ.પી. રોડ મોરબી ખાતે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં આ વખતે પ્રખ્યાત લેખક અને વક્તા ડો. શરદભાઈ ઠાકર તેમજ આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી મહિલા વક્તા ડો. આયુષીબેન રાણા આવવાના છે જેથી મોરબીના રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર આવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News