મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન
મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
SHARE
મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
મોરબી સબજેલ ખાતે જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાન ભાઈઓ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરી શકાય તે માટે મોરબી જેલ પ્રશાસન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા રમજાન માસ નિમિતે જેલમાં રોજા રહેતા હતા અને ખુદાની બંદગી કરતા હતા. તા. ૨૧ ના રોજ રમજાન ઇદ નિમિતે મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઈદની નમાજ અદા કરી ખુદાની બંદગી કરી હતી. અને મોરબી સબ જેલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા મુસ્લિમ બંદીવાન ભાઈઓને ઈદની શુભકમના પાઠવવામા આવી હતી અને નમાજ માટે પુરતો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.