વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન


SHARE













મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન

મોરબીમાં મેડિકલ સારવાર માટે, ધંધા માટે કે પછી કોઈ કારણોસર લોકોને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા હોય છે અને ત્યારબાદ તે લોકો પાસેથી લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લેવામાં આવે તેમ છતાં પણ તેઓને ધાક ધમકી આપવામાં આવતી હોય છે જેથી આવા લોકોની રજૂઆતો સાંભળવા માટે અને જે લોકોને ખરેખર રૂપિયાની જરૂર હોય તેઓને બેંક મારફતે લોન મળે તે માટે થઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લોકો વ્યાજખોરના ચક્રમાં ફસાવવાના બદલે લોકો બેંકોમાંથી લોન કેવી રીતે મેળવી શકાય તેની માહિતી આપવામાં આવશે.

મોરબી જીલ્લામાં ઠેરઠેર વ્યાજના હાટડા શેરીએ ગલ્લીએ ધમધમી રહ્યા છે અને લોકોને રૂપિયાની જરૂર પડે ત્યારે તેની પાસેથી વ્યાજખોરો મને પડે તેવા વ્યાજ વસૂલ કરતાં હોય છે તે હક્કિત છે અને મોરબી જીલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે હેરાન છે. તેવામાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી મંગળવારની તા. 24 ના રોજ મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી મોરબી જિલ્લાના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા આપવામાં આવી હતી જે હોય એ જણાવ્યું હતું કે આ જનસંપર્ક સભાની અંદર મોરબી જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિ ગેરકાયદે નાણાં ધીરધાર કરતાં લોકો કે વ્યાજ વટાવનો ભોગ બનેલા હોય તો તેઓની રજૂઆત સાંભળવામાં આવશે આટલું જ નહીં પરંતુ જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય તેમને આ સભામાં હાજર રહેલા જુદીજુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.






Latest News