મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ


SHARE













મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ

મોરબી મ્યુનિ.કોર્પો. જાહેર જનતાની સુખાકારી માટે ભવ્ય સાંસ્કૃતિક ઓડિટોરીયમનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. ત્યારે તેનું નામ મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

મોરબી રાજવી પરિવારે મોરબીના સાંસ્કૃતિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે તા.૩૧-૧-૧૯૬૩ ના રોજ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું લખલૂટ ખર્ચે નિર્માણ કર્યુ હતુ. અને મોરબીની જનતાને અર્પણ કર્યું હતો અને મોરબીની જનતાના સવિશેષ આગ્રહથી મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવેલ છે. જે બંને હાલ મ્યુ.કોર્પો.ની પ્રિમાઈસીસમાં મોજૂદ છે. હાલમાં સમસ્ત મોરબીની આમજનતા તથા રાજપુત સમાજ સહયોગી સંસ્થાઓએ આ અંગે તંત્રને રજુઆત કરતાં જણાવેલ છે કે, મ્યુ.કોર્પો. સુચિત ઓડિટોરીયમનું નિર્માણ કરે છે ત્યારે ઓડિટોરીયમનું નામકરણ મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ રાખવામાં આવે તેમજ મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ ત્યાં મુકવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. મોરબીના રાજવી પરિવારે લોકો માટે અનેક સુખાકારીના કાર્યો કર્યા છે. અને આ ઈતિહાસને બદલી ન શકાય. નવા સંસ્કરણો નવા પ્રોજેકટ આવકાર્ય છે પરંતુ ઈતિહાસ તો અંતે ઈતિહાસ જ રહે છે અને રહેશે. જેથી કરીને લોકોની રજુઆતને લઈને યોગ્ય કરવા માટે રાજપુત સમાજના આગેવાન કનકસિંહ ડી. જાડેજાએ તંત્રને રજૂઆત કરેલ છે.






Latest News