લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE





મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વાવાઝોડું અને કમોસમી વરસાદથી ખેડૂતો, ઉદ્યોગકારો અને આમ નાગરિકોને નાના મોટી નુકશાની થયેલ છે જેથી કરીને સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવીને તેઓને સહાય પેટે વળતર આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં તા. 19/3/26 ના રોજ વાવાઝોડા અને કમોસમી વરસાદ પડ્યો હતો જેથી કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે તારાજી થયેલ છે. અને ખેડૂતો ના રવિ પાકને મોટા પાયે નુકશાન થયેલ છે. ખાસ કરીને બાગાયતી પાક જેવા કે દાડમ, લીંબુ અને કેરીના પાકમાં મોટા પાયે નુકશાન થયેલ છે. તેવી જ રીતે ઘઉં, રાયડો, જીરું જેવા પાકો પણ નાશ પામેલ છે. અને એરંડાના પાકને પણ મોટું નુકશાન થયેલ છે. તે ઉરપાંત મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગમાં શેડના છાપરા ઊડી ગયા હતા અને  માલને પણ નુકશાન થયેલ છે. તથા સોલર પેનલનો પણ નાશ થયો છે. આટલુ જ નહીં શ્રમજીવી અને ગરીબ પરિવારોના કાચા મકાનના છાપરા ઊડ્યા હતા અને તેઓને પણ નુકશાન થયેલ છે. અને લોકોને વીજ બિલની બચત માટે ઘર ઉપર લગાવેલ સોલાર પેનલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે. આમ નાના મોટા ઉદ્યોગકારો, ખેડૂતો અને સામાન્ય લોકોને વાવાઝોડા અને કમોસમી વરસાદથી નુકશાન થયું છે જેથી લોકો હેરાન પરેશાન છે.  ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને થયેલ નુકશાન સામે લોકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News