મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વાવાઝોડું અને કમોસમી વરસાદથી ખેડૂતો, ઉદ્યોગકારો અને આમ નાગરિકોને નાના મોટી નુકશાની થયેલ છે જેથી કરીને સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવીને તેઓને સહાય પેટે વળતર આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં તા. 19/3/26 ના રોજ વાવાઝોડા અને કમોસમી વરસાદ પડ્યો હતો જેથી કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે તારાજી થયેલ છે. અને ખેડૂતો ના રવિ પાકને મોટા પાયે નુકશાન થયેલ છે. ખાસ કરીને બાગાયતી પાક જેવા કે દાડમ, લીંબુ અને કેરીના પાકમાં મોટા પાયે નુકશાન થયેલ છે. તેવી જ રીતે ઘઉં, રાયડો, જીરું જેવા પાકો પણ નાશ પામેલ છે. અને એરંડાના પાકને પણ મોટું નુકશાન થયેલ છે. તે ઉરપાંત મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગમાં શેડના છાપરા ઊડી ગયા હતા અને  માલને પણ નુકશાન થયેલ છે. તથા સોલર પેનલનો પણ નાશ થયો છે. આટલુ જ નહીં શ્રમજીવી અને ગરીબ પરિવારોના કાચા મકાનના છાપરા ઊડ્યા હતા અને તેઓને પણ નુકશાન થયેલ છે. અને લોકોને વીજ બિલની બચત માટે ઘર ઉપર લગાવેલ સોલાર પેનલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે. આમ નાના મોટા ઉદ્યોગકારો, ખેડૂતો અને સામાન્ય લોકોને વાવાઝોડા અને કમોસમી વરસાદથી નુકશાન થયું છે જેથી લોકો હેરાન પરેશાન છે.  ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને થયેલ નુકશાન સામે લોકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News