આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું


SHARE













પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું

સંસ્કૃત ભાષાના વિકાસ માટે સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના સહકારથી રાજયમા 'યોજનાપંચકમ્ ' અમલમાં મુકાયું છે. જેના અંતર્ગત ગીતા તથા સુભાષિતોના જ્ઞાનને પ્રોત્સાહન આપવામા આવી રહ્યુ છે. આ યોજનામાં 100 સુભાષિતો યાદ કરનારને ' शतसुभाषितपंडित:' એવોર્ડ આપવામાં આવે છે.

આ વર્ષે રાજયભરમાંથી 100 જેટલા પ્રતિભાશાળી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળાના શિક્ષિકા એવા વીણાબેન મેહુલભાઇ દલસાણિયા (દેસાઈ)એ સ્પર્ધામાં ભાગ લઇ સફળતા મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર સ્થિત લોકભવનમાં આયોજિત રાજય કક્ષાના સમારોહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સરના હસ્તે વીણાબેન દલસાણિયા (દેસાઈ)ને ' શત સુભાષિત પંડિત ' જેવી પ્રતિષ્ઠિત ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.






Latest News