મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી


SHARE











મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ૨૬૨૪ ની ઉજવણી થઈ રહી છે.ત્યારે પૂ.ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ગઈ તા. ૨૯-૩ ને રવિવારે "સપના સોહામણાં વીરના વધામણાં" કાર્યક્રમમાં ૧૪ સ્વપ્નાની ઉછામણીમાં દાન દાતાઓ વરસી પડ્યા અને ૧૬ લાખ ૧૬ હજાર રૂપિયાની ઉછામણીની રકમ એકઠી થઈ.આવો પ્રસંગ આવો ઉમંગ શ્રી સ્થા.જૈન સંઘ સોનીબજારમાં પહેલી જ વાર થયો તેમાં આચાર્ય ભાવગુરુદેવનું પુણ્ય કામ કરી ગયું તેમ દરેકની ધારણાં છે.

તા.૩૧ મંગળવારે દરબારગઢથી ભવ્ય શોભાયાત્રા ચાંદીના રથમાં તથા ૧૪ સ્વપ્ન રત્ન સાથે જૈન બેન્ડ ગ્રુપ વાજતે ગાજતે પ્રભુ મહાવીર સ્વામીની મોટી છબી અને બગીઑ ફ્લોટ સાથે દરેક જૈનસંઘ, મંડળો સ્વયં સેવકો તથા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ શોભાયાત્રામાં જોડાશે.નાની બાળાઓ દ્વારા માથે કળશ તથા બાળકો હાથમાં ધર્મધ્વજ લઈ નીકળશે ત્યાં લાઇવ રંગોળી તથા લકી ડ્રો ના કુપન તથા પ્રભાવના કરવામાં આવશે.આ શોભાયાત્રા દરબારગઢ દેરાસરજીથી પ્રયાણ કરી ગ્રીન ચોક, નેહરૂગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈ બોયઝ હાઈસ્કૂલ ખાતે ધર્મ સભામાં ફેરવાય જશે.દરમિયાન રસ્તામાં સરબત, છાશ, ઠંડા પાણી તથા ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ.આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી " મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર" વિષય પર મંગલ પ્રવચન આપશે.દરમિયાન ગઈ કાલે ૫૫૩ આયંબિલની ઓળી પણ પહેલી જ વખત થઈ  છે.શોભાયાત્રામાં મોરબીના તમામ જૈન બંધુઓ અડધો દિવસ વ્યાપાર ધંધા બંધ રાખી જોડાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.






Latest News