રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ


SHARE











વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તળાવો / ચેકડેમો ભરવા માટે “ સૌની યોજના “ (3KM વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામનું રાતડુ તળાવ, ચાંચડીયા ગામનું રામદેવપીર તળાવ, શેખરડી ગામનું લાવરીયુ તળાવ, શેખરડી ગામનું મોટું તળાવ, રાતડીયા ગામનું મોટું તળાવ, કાનપર ગામનું મચ્છોરા ડ્રેઇન, મહિકા ગામનો ચેકડેમ, સરોડી ગામનું તળાવ વગેરે ભરવા માટે ડાયા D.I./ HDPE પાઈપલાઈન કનેક્શન દ્વારા પાઈપલાઈન/ સ્કોર વાલ્વ અને તમામ સંલગ્ન કાર્યોનું ખાતમુહૂર્ત આજ રોજ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું જેમાં આજુબાજુ ગામના સરપંચો, આગેવાનો તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિજ્ઞાસાબેન મેરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે “સૌની યોજના” (3KM વિસ્તાર)ને સાકળતા તળાવો/ ચેકડેમોના કામનું ખાતમુહૂર્ત કરતા સહિત ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના હેઠળ મેસરીયા મહાલના મેસરીયા, ઠીકરીયાળા, ભલગામ, જાલિડા, સમઢીયાળા, રાતડીયા, મહિકા ગામોને સિંચાઈ માટે તળાવો ભરવાના કામને મંજુરી મળી ગઈ છે.સાથો સાથ આ યોજનામાં હજુ બાકી રહેતા વિવિધ ગામોના તળાવો જોડવાનું કામ કાર્યરત છે. મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં વિસ્તારના માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા વાંકાનેરના મેસરીયા મહાલના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા જિજ્ઞાસાબેને આગ્રહ કર્યો હતો.






Latest News