મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન


SHARE







મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે આગામી તા ૧૧/૪/૨૬ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભડીયાદ કાંટે આવેલ તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જાહેર જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત વર્ષના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજી ની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા "યુગપુરૂષ વંદના" સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષોની જીવન સંઘર્ષ ગાથાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર પ્રદીપભાઈ સોલંકી-સુરત, બિંદીયાબેન સોલંકી-જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે. આ સંગીત સંધ્યાનો વધુમાં વધુ લોકો લાભ લે તેના માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે. 






Latest News