મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન


SHARE











મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે આગામી તા ૧૧/૪/૨૬ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભડીયાદ કાંટે આવેલ તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જાહેર જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત વર્ષના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજી ની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા "યુગપુરૂષ વંદના" સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષોની જીવન સંઘર્ષ ગાથાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર પ્રદીપભાઈ સોલંકી-સુરત, બિંદીયાબેન સોલંકી-જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે. આ સંગીત સંધ્યાનો વધુમાં વધુ લોકો લાભ લે તેના માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે. 






Latest News