આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમા થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત


SHARE













મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત

મોરબીમાં નકલી દૂધ તથા નકલી પનીરે વિગેરેનું વેચાણ કરવામાં આવે છે જે લોકોના આરોગ્યને ખુબજ નુકશાન કરે છે જેથી કરીને આ બાબતે મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મનપાની ફૂડ વિભાગની ટિમ ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ તથા માણસની તંદુરસ્તીને નુકસાન થતી સ્થિતિને ધ્યાને લઈને સારી કામગીરી કરી રહી છે જો કે, મોરબીમાં નકલી દૂધ તથા પનીરનો કારોબાર મોટો ચાલી રહ્યો છે. તેવા સમાચાર છે. તો દૂધનો વપરાસ માણસની જીંદગીમાં રોજીંદો છે. અને ખાસ કરીને દર્દીને પણ દૂધ આપવામાં આવે છે ત્યારે નકલી દૂધ, નકલી પનીર તથા ભેળસેળ વાળું દૂધની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News