આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમા થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું થોડા દિવસો પહેલા હાર્ટ એટેકના હુમલાના લીધે નિધન થયું હતું ત્યાર બાદ મોરબી જિલ્લા કોંગ્રેસનાં ખલી પડેલા પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવે તે અનિવાર્ય હતું તેવામાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ  અઘારાની પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા વરણી કરવામાં આવી છે.

હાલમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે નયનભાઈ અઘારાની વરણી કરવામાં આવી છે તે મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. અને મોરબી જિલ્લા પંચાયત ની ગત ટર્મમાં તેઓ રવાપર સીટ ઉપરથી વિજેતા બનીને જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા ત્યાર બાદ તેઓને મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બન્યા હતા. અને વર્ષ 2010 -15 મા તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે આ ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, સર્વ કાર્યકરો તથા મોરબી જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકેની વરણીને સહર્ષ આવકારી છે. અને  તાજેતરમાં કિશોરભાઈ ચીખલીયાનું આકસ્મિક નિધન થયું હોવાના લીધે કોઈ પણ જાતની ઉજવણી વિના સાદગીથી તેઓ પોતાનો પદ સંભાળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના કામે લાગી ગયા છે.






Latest News