મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન


SHARE













મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન

મોરબીના બેલાભરતનગર રોડ ઉપર આવેલ શ્રી ખોખરા હનુમાનજી મંદિરે નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને 7 દિવાસીય શિબિરનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી મંદિરે ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા 7 દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગદર્શન તરીકે ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા તા 9 થી 15 સુધી સેવા આપવામાં આવશે અને આ શિબિરની વિશેષતાની વાત કરીએ તો 7 દિવસની નેચરોપેથી શિબિરમાં નવી ભોજન પ્રથાનું માર્ગદર્શન આપશે, આ શિબિર સંપૂર્ણ નિઃશુલ્ક છે, પ્રાકૃતિક ઉપચાર, આહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સવારે 6 થી 8 સુધી શિબિરમાં યોગ પ્રાણાયામ,
9 થી 12 તજજ્ઞનું પ્રવચન, 12:15 ગ્રીન જ્યુસ, 12:30 થી 1:30 પ્રવચન, 1:30 થી ફળાહાર અને આરામ, 3:00 પ્રવચન, 5:00 રસાહાર, 5:15 થી પ્રવચન અને પ્રશ્નોતરી, 7:00 ફળાહાર, 7:30 થી રાસ ગરબા અને 9:30 શયન નું આયોજન કર્યું છે અને આ શિબિરથી દવાઓ વગર સ્વાભાવિક રીતે લોકોનું આરોગ્ય સુધારશે, વજન ઘટાડવા અને ડિટોક્સ કરવા માંગતા લોકોને ફાયદો થશે.






Latest News