મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરે મુલાકાત લીધી મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં
Breaking news
Morbi Today

મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ


SHARE







મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ 

મૂળ હળવદના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી અને હાલ મોરબીના મકનસર ખાતે મામાના ઘરે આવેલ યુવતી ઘરેથી કામ શોધવા માટે જાવ છું.તેમ કહીને નીકળી હતી અને બાદમાં ગુમ થઈ ગયેલ હોય ઘરમેળે શોધખોળ કરવા છતાં તેણીનો પતો ન લાગતા પોલીસમાં જાણ કરવામાં આવી છે.જેથી તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરબીના મકનસર ગામે મામાને ત્યાં આવેલ કૈલાસબેન ઉર્ફે હકુબેન પ્રવીણભાઈ શીવાભાઈ રાઠોડ (૧૮) મૂળ રહે.ગૌરી ઘનશ્યામપુર તા.હળવદ ગત તા.૨૫-૩ ના સવારે નવેક વાગ્યે કામ શોધવા માટે જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા અને મકનસરથી નીકળ્યા બાદ મકનસર ખાતે પરત ફર્યા ન હોય ઘરમેળે તપાસ કરવામાં આવી હતી.છતાં પણ પતો ન લાગતા કૈલાસબેનના માતા ટીનાબેન પ્રવીણભાઈ રાઠોડ (૩૭) રહે. લીલાપર ગામ પાસે સિરામિક યુનિટના લેબર કવાટરમાં એ પોલીસમાં જાણ કરી હતી.હાલ ગુમ થયેલા કૈલાસબેન રાઠોડને શોધવા માટે તાલુકા પોલીસ સ્ટાફના એ.એચ.પરમાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News