મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન


SHARE











મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન

મોરબીના બેલાભરતનગર રોડ ઉપર આવેલ શ્રી ખોખરા હનુમાનજી મંદિરે નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને 7 દિવાસીય શિબિરનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી મંદિરે ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા 7 દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગદર્શન તરીકે ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા તા 9 થી 15 સુધી સેવા આપવામાં આવશે અને આ શિબિરની વિશેષતાની વાત કરીએ તો 7 દિવસની નેચરોપેથી શિબિરમાં નવી ભોજન પ્રથાનું માર્ગદર્શન આપશે, આ શિબિર સંપૂર્ણ નિઃશુલ્ક છે, પ્રાકૃતિક ઉપચાર, આહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સવારે 6 થી 8 સુધી શિબિરમાં યોગ પ્રાણાયામ,
9 થી 12 તજજ્ઞનું પ્રવચન, 12:15 ગ્રીન જ્યુસ, 12:30 થી 1:30 પ્રવચન, 1:30 થી ફળાહાર અને આરામ, 3:00 પ્રવચન, 5:00 રસાહાર, 5:15 થી પ્રવચન અને પ્રશ્નોતરી, 7:00 ફળાહાર, 7:30 થી રાસ ગરબા અને 9:30 શયન નું આયોજન કર્યું છે અને આ શિબિરથી દવાઓ વગર સ્વાભાવિક રીતે લોકોનું આરોગ્ય સુધારશે, વજન ઘટાડવા અને ડિટોક્સ કરવા માંગતા લોકોને ફાયદો થશે.






Latest News