મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક


SHARE













મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) તરીકે ડૉ. સંજય જોશી (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મીં) નગરપાલિકાઓની બેઠકો માટે તેઓ નિરીક્ષણની કામગીરી સંભાળશે. 

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો, સૂચનો કે ફરિયાદો માટે સંબંધિત રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદાતાઓ ઓબ્ઝર્વરશ્રીનો સંપર્ક કરી શકે છે. ડૉ. સંજય જોશી (IAS) મોરબી ખાતે રોકાણ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત માટે ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓ ઓબ્ઝર્વર પ્રવાસમાં ન હોય તેવા સમયે રૂબરૂ મળી શકશે અથવા જરૂર જણાયે લેખિતમાં રજૂઆત કરી શકશે. વધુમાં, ત્વરિત સંપર્ક માટે ટેલિફોન નંબર ૯૪૨૬૩ ૨૭૨૨૭ જાહેર કરવામાં આવ્યો છે જેના પર વ્હોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કરી શકાશે. લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષકશ્રી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો અને હિતધારકોને આ સુવિધાનો ઉપયોગ કરી પારદર્શક ચૂંટણીમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News