મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી


SHARE







કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે ચૂંટણી સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતુ કે, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા જે ભાજપની વર્તમાન સરકાર પૂરા કરી રહી છે અને ખાસ કરીને રોડ રસ્તા, આરોગ્ય સહિતની બાબતો માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે તે કોંગ્રેસ વાળાઓને દેખાતો નથી તેવો ટોણો પણ માર્યો હતો.

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજે મોરબી જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠક તેમજ તે બેઠકોની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યોના પ્રચાર માટે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજણાવ્યું હતું કે દેશના લોકોને આઝાદી મળી ત્યારે આઝાદીના લડવૈયાઓ દ્વારા લોકોને વીજળી મળે, સારા રોડ રસ્તા મળે, સારી આરોગ્યની સેવાઓ મળે તેવા અનેક સપના જોયા હતા જો કે, કોંગ્રેસના શાસન વખતે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ગુજરમાં જયારથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકાર સત્તા ઉપર આવી છે ત્યારથી ગામડાઓ સુધી લોકોને વીજળી, આરોગ્યની 10 લાખ સુધીની સારવાર માટે આયુષમાન કાર્ડ વિગેરે અનેક સુવિધા મળી રહી છે આટલું જ નહીં ભૂતકાળના દિવસોને યાદ કરીને સભામાં આવેલા વડીલો સહિતના લોકો હાજર હતા તેઓએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી જવું હોય તો કેટલો સમય લાગતો હતો ત્યારે સામેથી જવાબ આવ્યો હતો કે દોઢ થી બે કલાક જો કે, આજે ભાજપની સરકારે ટનટન રોડ બનાવી દીધા છે જેથી માત્ર અડધા થી પોણા કલાકમાં જ મોરબી સુધી પહોચી જવાય છે, આ વિકાસ છે જો કે, તે કોંગ્રેસને દેખાતો નથી તેમ કહીને કોંગ્રેસને આડે હાથે લઈને ટોણો માર્યો હતો.






Latest News