લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું
મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળામાં શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી તથા સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે પૂજ્ય વિવેકમુની મહારાજ સાહેબ દ્વારા સુંદર શૈલીમાં કરાવવા માં આવેલ અરિષ્ઠ નિવારક શનિગ્રહની સાધનામાં શનિદેવ પરિપૂજિત શ્રી મુનિસુવ્રત સ્વામીની આરાધના કરવા માટે ભક્તિ-જાપમાં ૨૦૭ થી વધારે ભાઈઓ બહેનો બ્લેક કપડામાં આસન માળા સાથે જોડાયા હતા. અને મોટી બીમારી, માનસિક પીડા, આર્થિક સમસ્યાઓ તેમજ વ્યાધિથી મુક્તિ મેળવવા ખુબજ ફળદાયક એવા શનિદેવના તથા મુનિસુવ્રત સ્વામીના મંત્ર જાપનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ ગુરૂદેવ દ્વારા માંગલિક કહેવામાં આવેલ અને દરેકને રક્ષાપોટલી પ્રભાવના રૂપે આપવામાં આવેલ હતી.