મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો
SHARE
મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં ૨૨ મો પાટોત્સવ તાજેતરમાં યોજાયો હતો. આ પાટોત્સવ મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં યોજાયો હતો અને ત્યારે યજ્ઞ, મહાઆરતી, બ્રહ્મ ભોજન, કુવારીકા, ભોજન તેમજ ભાવિક માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું આ સમગ્ર કાર્યકમ ઉમિયા ગોપી મંડળ તેમજ આશ્રમના સેવક સમુદાયની જહેમતથી સફળ બનાવવામાં આવ્યો હતો. તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે