ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબીમાં અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકે ફોન કર્યો હતો કે, એક અજાણી મહિલા ઘણા સમયથી એકલા બેઠી છે અને પૂછપરછ કરતા સરખા જવાબ આપતી નથી જેથી તાત્કાલિક અભયમની ટિમ તે મહિલા પાસે પહોચી હતી

અભયમ ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન તથા પાયલોટ રબારી વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા  અને ત્યાં જઈને મહિલાને સાંત્વના આપી હતી અને સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ? ક્યાંથી આવ્યા ? વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો બાદ  મહિલાના પરિવારનો સંપર્ક થયો હતો અને ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલાના પરિવારજનોની પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવ્યુ હતું કે, મહિલા માનસિક અસ્વસ્થ છે અને ઘરેથી કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગઈ હતી અને તે મહિલાને તેના પરિવારજનો શોધી રહ્યા હતા. હાલમાં અભયમની ટીમે મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ છે.






Latest News