મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી કર્યો રસ્તો ચક્કાજામ મોરબીમાં સગીરાની છેડતી કરીને તેની માતા સાથે ઝઘડો કરીને ધમકી આપનારા શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય


SHARE











હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જો કે, તેની અસર ભારત ઉપર પણ થવા લાગી છે જેથી કરીને વડાપ્રધાન દ્વારા પેટ્રોલ અને ડિઝલને બચાવવા સહિતની જુદીજુદી પાંચ અપીલ કરી હતી જેને ધ્યાને રાખીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા હવે પાઇલોટિંગ સાથે નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સિકંદરાબાદ ખાતે એક જનસભાને સંબોધતા જુદીજુદી અપીલ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલને બચાવવા માટે કહ્યું ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા તેઓને મળતું પાઇલોટિંગ ન લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના લીધેલ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ડીઝલ બચાવવા માટેની અપીલ કરેલ છે જેથી તેઓ દ્વારા હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુધ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ પાઇલોટિંગ લેશે નહીં તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં જાય છે ત્યારે પાઈલોટિંગનું એક વાહન આવે અને બીજું પાછું જતું હોય છે જેના લીધે ચાર ગણું ડીઝલ બગડે છે અને માનવ કલાકો પણ બગડે છે જેથી કરીને તેઓએ હાલમાં ડીઝલનો બચાવ થાય તેના માટે આ નિર્ણય કર્યો છે.






Latest News