મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય


SHARE









હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જો કે, તેની અસર ભારત ઉપર પણ થવા લાગી છે જેથી કરીને વડાપ્રધાન દ્વારા પેટ્રોલ અને ડિઝલને બચાવવા સહિતની જુદીજુદી પાંચ અપીલ કરી હતી જેને ધ્યાને રાખીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા હવે પાઇલોટિંગ સાથે નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સિકંદરાબાદ ખાતે એક જનસભાને સંબોધતા જુદીજુદી અપીલ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલને બચાવવા માટે કહ્યું ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા તેઓને મળતું પાઇલોટિંગ ન લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના લીધેલ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ડીઝલ બચાવવા માટેની અપીલ કરેલ છે જેથી તેઓ દ્વારા હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુધ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ પાઇલોટિંગ લેશે નહીં તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં જાય છે ત્યારે પાઈલોટિંગનું એક વાહન આવે અને બીજું પાછું જતું હોય છે જેના લીધે ચાર ગણું ડીઝલ બગડે છે અને માનવ કલાકો પણ બગડે છે જેથી કરીને તેઓએ હાલમાં ડીઝલનો બચાવ થાય તેના માટે આ નિર્ણય કર્યો છે.






Latest News