ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી કર્યો રસ્તો ચક્કાજામ મોરબીમાં સગીરાની છેડતી કરીને તેની માતા સાથે ઝઘડો કરીને ધમકી આપનારા શખ્સની ધરપકડ મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામ પાસે શોર્ટ લગતા યુવાનનું મોત: ઊંચી માંડલ પાસે ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત


SHARE











ટંકારાના નેકનામ ગામ પાસે શોર્ટ લગતા યુવાનનું મોત: ઊંચી માંડલ પાસે ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત

ટંકારાના નેકનામ ગામ પાસે વાડીની નજીક આવેલ ટીસી નીચે કોઈ કારણોસર યુવાને ઇલેક્ટ્રિક શોટ લાગવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતા આધેડે કોઈ કારણોસર કારખાના નજીક ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ રેડેકો ફાઇબર પ્રા.લિ. નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદભાઈ નરેશભાઈ માંજી (32) નામનો યુવાન નેકનામ ગામે દાનમોરાની સિમ તરીકે ઓળખાતી જીતુભાઈની વાડી પાસે ઈલેક્ટ્રીક ટીસી નીચે હતો ત્યારે ત્યાં કોઈ કારણસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની લોકેનભાઈ મંગળભાઈ માજી (19) રહે. નેકનામ ગામની સીમ રેડેકો ફાઇબર પ્રા.લિ. તાલુકો ટંકારા મૂળ રહે. ઝારખંડ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના ખાતે રહેતા ઈશ્વરભાઈ લીલાધર માલી (50) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર કારખાના પાસે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News