મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ નર્મદા ધ્રાંગધ્રા  બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થાય છે અને ખેડૂતોના ખેતરમાં પાણી આવી જાય છે જેથી ખેડૂતોને નુકશાન થાય છે માટે કેનાલ રીપેર કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D-27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થતા નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં મોટું નુકશાન થયેલ છે. જો કે આ પરિસ્થિતિ છેલ્લા ચારેક વર્ષથી થઈ રહી છે. અને અવારનવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્રના બહેરા કાનોને ખેડૂતોની વેદના સંભળાતી નથી અને અધિકારીને વેદના સમજાતી નથી. જેથી માયનોર કેનાલ રિપેર કરી ન હોવાથી મોંઘા ભાવના પાણીનો મોટા પાયે બગાડ થાય છે. અને ખેડૂતોને નુકશાન થાય છે તેમ છતાં કોઈ જવાબદાર અધિકારીઓને આ કામ કેમ દેખાતું નથી તે મોટો પ્રશ્ન છે. હાલમાં ખેડૂતોને અધિકારીને બેદરકારીના લીધે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે અને સાથોસાથ કેનાલનું રિપેરિંગ કામ પણ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. અને જો કામ કરવામાં નહીં આવે તો ના છુટકે સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે અને કાનૂની રહે વળતર મેળવવા કોર્ટેનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News