મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત


SHARE







મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં મેયર સહિતના મુખ્ય પાંચ હોદા ઉપર હોદેદારોની વરણી કરવામાં આવેલ છે અને તેમાં દલવાડી સમાજના એક પણ ચૂંટાયેલા આગેવાનને સ્થાન આપવામાં આવ્યું નથી જેથી કરીને નારાજ થઈને દલવાડી સમાજના મહાપાલિકાના ચૂંટાયેલા 8 કોર્પોરેટરો  મોરબી જિલ્લા ભાજપની મીટીંગમાં ગેરહાજર રહ્યા હતા અને ત્યાર બાદ જીલ્લા પ્રમુખને આવેદનપત્ર આપીને આગામી સમયમાં મહાપાલિકાની એક પણ કમિટીમાં પદ નહીં સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોએ ઇન્કાર કર્યો છે.

મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો ચૂંટાયેલ હતા જેમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરો ચૂંટાયેલા હતા જો કે, તાજેતરમાં મહાપાલિકાના મેયર સહિતના જે મુખ્ય પાંચ હોદા છે તેના ઉપર ભાજપ દ્વારા જેમના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરો ચૂંટાયેલા હતા તે પાલિકના એકપણ આગેવાનનો સમાવેશ કરવામાં આવેલ નથી જેથી કરીને દલવાડી સમાજના કોર્પોરેટરો દ્વારા મોરબી કમલમ ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને રૂબરૂને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જયા સુધી દલવાડી સમાજને યોગ્ય ન્યાય કે પ્રતિનિધિત્વ મળશે નહીં ત્યાં સુધી દલવાડી સમાજના કોર્પોરેટરો દ્વારા એક પણ સમિતિમાં સભ્ય કે ચેરમેન તરીકેનો હોદો સ્વીકારવામાં આવશે નહીં. જોકે સુત્રોના કહેવા મુજબ જિલ્લા પ્રમુખે દલવાડી સમાજના કોર્પોરેટરોની લાગણીને ધ્યાને લીધી ન હતી અને દર વખતે દરેકને બધું મળે તે જરૂરી નથી આવો જવાબ આપી દીધો હતો. જેથી દલવાડી સમાજના કોર્પોરેટરો રોષે ભરાયા હતા. આ રજૂઆત કરવાં આવી હતી ત્યારે વોર્ડ નં 1 ના વિણાબેન માવજીભાઈ કંઝારીયા, વોર્ડ નં 7 ના જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, વોર્ડ નં 10 ના અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા, વોર્ડ નં 11 ના ભારતીબેન યુનીલાલ પરમાર, વોર્ડ નં 13 ના જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા અને રાજેશભાઇ કાનજીભાઈ ડાભી હાજર રહ્યા હતા. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, દલવાડી સમાજના મહાપાલિકાના કોર્પોરેટરો તેઓની રજૂઆત કરવા માટે આવ્યા હતા તે બાબતે હવે પક્ષ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.






Latest News