મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ


SHARE











મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા સનાતન સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.31-5-2026 ને રવિવારે સવારે 9=00 વાગ્યાથી સ્ટોક હશે ત્યાં સુધી નોટબુક વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે સવારે 9=00 વાગ્યાથી રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે અને જયા સુધી નોટબુક હશે ત્યાં સુધી લોકોને આપવામાં આવશે. ઉલેખનીય છે કે, શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ સનાતની સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે. આ ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2026 ની માર્કશીટ ઓરીજીનલ સાથે લાવવાની રહેશે તેને જ માન્ય ગણીને રાહત દરે ફુલસ્કેપ નોટબુક આપવામાં આવશે તેવું મોરબી શ્રી સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજય કોટકે જણાવ્યુ છે.






Latest News