મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય
SHARE
મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય
૮૧ દિવસ મોરબીમાં અવિસ્મરણીય ધર્મ પ્રભાવના કરનાર પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ પૂ. ભાવચંદ્રજી સ્વામીના ૠણ સ્વિકાર તથા નાના મોટા સહુના દિલ જીતનાર ગુરુદેવોના વિદાય સંભારણા ભાવ સ્પર્શ કાર્યક્રમ તા.૬ શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં આયોજન કરવામાં આવેલ છે. તેમાં મોરબીના સમસ્ત ભાવિકોને પધારવા એક યાદી માં જણાવેલ છે. છેલ્લો દિવસ છે. સમય સમજીને સમયસર આવજો, ગુરુ ભક્તિના અહેસાસથી સુપર સેટર-ડે બનાવજો. ત્યારબાદ લિટલ એન્જલસ નાના બાળકો માટે સ્પેશિયલ જ્ઞાન સત્ર સવારે ૯-૧૫ થી ૧૧-૧૫ બે કલાક માટે ગુરૂદેવના સાનિધ્યમાં જૈન પાઠશાળામાં જતા કુમાર-કુમારિકાઓ તેમજ તે સિવાયના ટીનેજર સ્કૂલ ખુલ્યા પહેલા આ ખાસ કાર્યક્રમમાં આવી ગુરુદેવના આશીર્વાદ લેવા આવે તે માટે ખાસ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.