રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
SHARE
રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા કૌટુંબિક ભાઈના ઘરે આવેલા રાજકોટના વૃદ્ધે પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકનેર અને બાદમાં રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજયું હતું જે બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં આવેલ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ ખાતે રહેતા ચમનભાઈ શીવાભાઈ પરમાર (60) નામના વૃદ્ધ વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ ગોડાઉન રોડ ખાતે રહેતા તેના કૌટુંબિક ભાઈ જનકભાઈના ઘરે આવ્યા હતા અને ત્યાં તેઓએ પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકીની ઇજા
મોરબીના લાલપર ગામ નજીક સિરામિક કારખાનામાં રહેતા પરિવારની હેમલતા દુર્ગેશભાઈ ચૌહાણ નામની એક વર્ષની બાળકીને ટ્રેક્ટર પાછું લેતા સમયે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જેથી તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ રતિલાલભાઈ સાગઠીયા (22) નામના યુવાનને સ્મશાન નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.