મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી મોરબીમાં મેયરની હાજરીમાં સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ પોલીસની આબરૂનું ધોવાણ: મોરબીના વાડી વિસ્તારમાં પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચ શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ મોરબીમાં માતાની યાદ આવતી હોય ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર યુવતી ગુમ મોરબી સબ જેલમાં ધબધબાટી, વાપરવા આપેલ શેમ્પૂ પરત માંગતા એક કેદીને બીજા કેદીએ માર માર્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો

મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા મોરબીના સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે દ્વિતીય વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને બિરદાવવામાં આવી હતી.

આ સમારોહમાં ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર તથા રમતગમત ક્ષેત્રે ઝળહળતો દેખાવ કરનાર 70 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજ માટે સમર્પિત અને કાર્યરત શિક્ષકો તેમજ નિવૃત્ત સરકારી શિક્ષકોનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. ખાસ કરીને આઈઆઈટી જમ્મુ (IIT Jammu) અને બીએએમએસ (BAMS) માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. અને કારકિર્દીના મહત્વના પડાવ સમાન ધો. 10 અને 12 (કોમર્સ અને સાયન્સ) માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખાસ સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું અને તેમને વાજતે-ગાજતે સ્ટેજ સુધી લાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં હનુમાન ચાલીસા સ્તુતિ અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આજના સમયમાં ગોખણપટ્ટીના શિક્ષણ પર કટાક્ષ કરતું 'ગોખણપટ્ટી.કોમ' નામનું એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાણીતા મોટિવેશનલ સ્પીકર અને બાળરોગ નિષ્ણાત સતીશ પટેલે ઉપસ્થિત વાલીઓને 'પેરેન્ટિંગ' વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આજના સમયમાં બાળકોને કેવી રીતે ઉછેરવા તે અંગે વાત કરી હતી. તેમણે "ગોખણિયું જ્ઞાન અને પરિણામ તો ટનાટન પરંતુ સ્વીકૃતિ છનાનન" વિષય પર છણાવટ કરી, બાળકોને માત્ર 90 થી 95 ટકા લાવવા પૂરતું ગોખણપટ્ટી કરાવવાને બદલે પ્રેક્ટિકલ નોલેજ (ભણતર સાથે ગણતર) આપવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી, રાજકોટ, થાન, હળવદ અને ટંકારા સહિતના વિસ્તારોમાંથી પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, જ્ઞાતિના પ્રમુખો, વિવિધ શિક્ષણ સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News