મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત

મોરબી મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર ગામે છેલ્લા 15 દિવસ જેટલા સમયથી લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ છે જેથી કરીને સ્થાનિક લોકો હેરાન છે અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે રોષની લાગણી છે. દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને પાણીની સપ્લાઈ નિયમિત કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.

હાલમાં મહેન્દ્રનગર ગામે રહેતા કોંગ્રેસના સ્થાનિક નેતા મુકેશભાઈ ગામીએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ઉનાળામાં લોકોને પાણીની વધુ જરૂર રહેતી હોય છે પરંતુ મહેન્દ્રનગર ગામે છેલ્લા લગભગ 15 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને પીવાના તેમજ ઘર વપરાશ માટે લોકોને વેચાતું પાણી લઈને તેનો ઉપયોગ કરવો પડે છે. જેથી લોકોને આર્થિક નુકશાન થાય છે તેમજ મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી મહેન્દ્રનગરમાં પાણી બંધ રહેવાનું કારણ શોધીને તાત્કાલિક ધોરણે લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News