મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ સુરત ખાતે યોજાયેલ વિહિપની બેઠકમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના હોદેદારો હાજર રહ્યા મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓ જોગ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ આઇટીઆઇ ખાતે ભરતી મેળો યોજાશે મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી


SHARE







ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી

ટંકારાના રોહીશાળા ગામના સિમ વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રોહીશાળાથી વિરવાવ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખેતરોથી કેબલ વાયરોની ચોરી કરવામાં આવેલ છે અને ખેડૂતોએ ખેતરમાં કૂવામાંથી સિંચાઇ માટેનું પાણી મેળવવા માટે રાખેલી મોટરના કેબલ વાયરની ચોરી કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

હાલમાં રોહીશાળા ગામના લોકો પાસેથી મળતી માહિતિ મુજબ વિરવાવ રોડ ઉપર આવેલા ખેતરોમાં ખેડૂતોએ સિંચાઇ માટે ખેતરોમાં મોટર સાથે જે કેબલ વાયર રાખેલા હોય છે તે વાયરની ચોરી કરવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ ચારથી વધુ ખેડૂતોના ખેતરોમાંથી વાયરની ચોરી કરવામાં આવેલ છે જેમાં દેવશીભાઈ સવસાણી, શાંતિલાલ ટાંક, મનસુખભાઈ ચોટલિયા વિગેરેનો સમાવેશ થાય છે. વધુમાં ગામના લોકો પાસેથી મળતી માહિતિ મુજબ એક જ રાતમાં ખેડૂતોના ખેતરમાં રહેલા કૂવામાંથી સીંચાઈનું પાણી મેળવવા માટે મૂકેલી મોટરના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેઓને આર્થિક  નુકશાન પણ થયું છે. આ બનાવની ગામના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ખેડૂતોના ખેતરમાંથી કેબલ વાયરની ચોરી કરનારા શખ્સોને દબોચી લેવા જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News