ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી


SHARE











ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી

ટંકારાના રોહીશાળા ગામના સિમ વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રોહીશાળાથી વિરવાવ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખેતરોથી કેબલ વાયરોની ચોરી કરવામાં આવેલ છે અને ખેડૂતોએ ખેતરમાં કૂવામાંથી સિંચાઇ માટેનું પાણી મેળવવા માટે રાખેલી મોટરના કેબલ વાયરની ચોરી કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

હાલમાં રોહીશાળા ગામના લોકો પાસેથી મળતી માહિતિ મુજબ વિરવાવ રોડ ઉપર આવેલા ખેતરોમાં ખેડૂતોએ સિંચાઇ માટે ખેતરોમાં મોટર સાથે જે કેબલ વાયર રાખેલા હોય છે તે વાયરની ચોરી કરવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ ચારથી વધુ ખેડૂતોના ખેતરોમાંથી વાયરની ચોરી કરવામાં આવેલ છે જેમાં દેવશીભાઈ સવસાણી, શાંતિલાલ ટાંક, મનસુખભાઈ ચોટલિયા વિગેરેનો સમાવેશ થાય છે. વધુમાં ગામના લોકો પાસેથી મળતી માહિતિ મુજબ એક જ રાતમાં ખેડૂતોના ખેતરમાં રહેલા કૂવામાંથી સીંચાઈનું પાણી મેળવવા માટે મૂકેલી મોટરના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેઓને આર્થિક  નુકશાન પણ થયું છે. આ બનાવની ગામના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ખેડૂતોના ખેતરમાંથી કેબલ વાયરની ચોરી કરનારા શખ્સોને દબોચી લેવા જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News