મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા


 મોરબીમાં ઘર કંકાસથી કંટાળી પરિણિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, વર્ષાબેન પ્રદીપભાઈ વીરસોડિયા (ઉંમર વર્ષ૪૫, રહે.રવાપર રોડ, ફ્લોર ઇનોવા સોસાયટી, મોરબી) ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા.

ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં ઇમર્જન્સી વિભાગમાં તેઓ સારવાર હેઠળ છે. તેમના પતિ પ્લાસ્ટિકની વસ્તુનો વેપાર કરે છે.તેમના લગ્ન ૨૪ વર્ષ પહેલા થયા હતા.હાલ સંતાનમાં એક પુત્ર છે. ઘર કંકાસથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. હાલ વર્ષાબેન સારવાર હેઠળ છે.મોરબી એ ડિવિઝન પોલીસે નિવેદન લેવા તજવીજ શરૂ કરી હતી.






Latest News