મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણના કાર્યક્રમ નું આયોજન
મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા
SHARE
મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા
મોરબીમાં ઘર કંકાસથી કંટાળી પરિણિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, વર્ષાબેન પ્રદીપભાઈ વીરસોડિયા (ઉંમર વર્ષ૪૫, રહે.રવાપર રોડ, ફ્લોર ઇનોવા સોસાયટી, મોરબી) ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા.
ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં ઇમર્જન્સી વિભાગમાં તેઓ સારવાર હેઠળ છે. તેમના પતિ પ્લાસ્ટિકની વસ્તુનો વેપાર કરે છે.તેમના લગ્ન ૨૪ વર્ષ પહેલા થયા હતા.હાલ સંતાનમાં એક પુત્ર છે. ઘર કંકાસથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. હાલ વર્ષાબેન સારવાર હેઠળ છે.મોરબી એ ડિવિઝન પોલીસે નિવેદન લેવા તજવીજ શરૂ કરી હતી.









