મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન


SHARE







વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન

 

મોરબીમાં વિશ્વ રક્તદાતા દિવસના અવસરે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું તેમજ મોરબીના અન્ય રક્તદાતાઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું  હતું.

યુવાશક્તિ ગ્રુપ મોરબી છેલ્લા ઘણા વર્ષોથી “હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન” અભિયાન હેઠળ ૨૪/૭ સેવા આપી રહ્યું છે.શહેર અને આસપાસના વિસ્તારોમાં જ્યારે પણ કોઈ દર્દીને તાત્કાલિક રક્તની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ગ્રુપના સ્વયંસેવકો દિવસ-રાત નિઃસ્વાર્થ ભાવથી રક્તદાતાઓને જોડીને જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાનું કાર્ય કરે છે.કાર્યક્રમ દરમિયાન નવા રક્તદાતાઓને નિયમિત રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.રક્તદાનથી સમાજને થતા લાભો ઉપરાંત રક્તદાતાના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.યુવા શક્તિ ગ્રુપ દ્વારા સમાજના વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને રક્તદાન જેવી મહાન સેવામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકે અને વધુ જીવ બચાવી શકાય.યુવાશક્તિ ગ્રુપમાં જોડાવવા માટે મો.૯૩૪૯૪ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે






Latest News