માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી એવન્યુ પાર્કમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં ૬.૨૫ લાખનું દાન આવ્યું


SHARE

















મોરબી એવન્યુ પાર્કમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં ૬.૨૫ લાખનું દાન આવ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ ગૌસેવાના લાભાર્થે આયોજન કરવામા આવ્યુ હતુ. આ કથા ભાગવતાચાર્ય સુહાગભાઈ દવેના વ્યાસાસને યોજાયેલ હતી અને ભાગવત સપ્તાહમા આવતા વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામા આવ્યા હતા. અને ગૌસેવાના લાભાર્થે આયોજીત સપ્તાહમા ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. જેમાંથી કથાનો ખર્ચ બાદ કરતા આશરે ૬.૨૫ લાખ જેટલી રકમ ગૌસેવામા ઉપયોગમા લેવામા આવશે.શ્રીમદ્ ભાગવત સપ્તાહને સફળ બનાવવા મીતાબેન જોશી, રમાબેન કોઠીયા, ગીતાબેન કૈલા, રિયાબેન ગ્વાલાણી, હેતલબેન જોશી, અનિતાબેન હીરાણી, ઝરણાબેન પંડ્યા, હેમાલીબેન રાચ્છ, જાગૃતિબેન કૈલા, શારદાબેન બારૈયા, હસુભાઈ ચંડીભમર, માવજીભાઈ બરાસરા, રમણીકભાઈ ચંડીભમર, દેવેન્દ્રભાઈ હિરાણી, પ્રવિણભાઈ સેતા, ભરતભાઈ ગ્વાલાણી, વિનુભાઈ કાથરાણી, સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી.શ્રીમદ્ ભાગવત સપ્તાહના સફળ આયોજન બદલ સોસાયટીના તમામ રહીશો તેમજ સહયોગીઓ, રોકડીયા હનુમાન મંદિરના મહંત તથા બજરંગ ધૂન મંડળનો આયોજકોએ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો. તેવું નિર્મિત કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે




Latest News