મોરબીની પરશુરામ વસ્તીમાં ડો.ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્રનો શુભારંભ
મોરબીના બેલા ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના બેલા ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ કારખાના નજીક પાણી ભરેલા તળાવમાં યુવાન ડૂબી ગયો હતો જેથી યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની બાજુમાં એન્ટીલા સીરામીક કારખાના નજીક આવેલ તળાવમાં કોઈપણ કારણોસર સંજયભાઈ નંદકિશોરભાઈ બાલમુચુ (18) રહે એન્ટીલા સિરામિક કારખાનામાં બેલા વાળો કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેના મૃતદેહને લાલસીંગ પૂર્ણચંદ્ર મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતીમારામારીમાં ઇજા
મોરબીના મકનસર ગામે વાદી વિસ્તારમાં રવિભાઈ દિનેશભાઈ નંદેસરીયા (25)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિનયભાઈ પરસોતમભાઈ પટેલ (29) નામના યુવાનને ઘૂટું ગામ નજીક આવેલ લેટેસ્ટ ગાર્ડન ખાતે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. #morbi #મોરબી