મોરબીના ધરમનગરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત
મોરબીના રંગપર ગામે ઘરે એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE
મોરબીના રંગપર ગામે ઘરે એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે પરણીતાનું મોત નીપજયું હતું જે બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા ભક્તિબા રાજદીપસિંહ ઝાલા (26) નામની મહિલાએ ગત તા. 30/6 ના રોજ સાંજના 6:30 વાગ્યાના અરસામાં પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો સાત વર્ષનો છે અને તેને સંતાનો એક પાંચ વર્ષનો દીકરો છે જોકે મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ.તિવારી ચલાવી રહ્યા છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના મકનસર ગામે રહેતા ચેતનાબેન ગેલાભાઈ ચાવડા (21) નામની મહિલા કોઈ કારણોસર ઘરે હતી ત્યારે ત્યાં ફિનાઇલ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. #morbi #મોરબી