મોરબીના રંગપર ગામે ઘરે એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
મોરબીના લાલપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીના લાલપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન રૂમમાં હતો ત્યારે ત્યાં તેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ જેડ વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો (43) નામનો યુવાનો પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મયુરભાઈ અઘારા રહે. લાલપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ થઇ હતી. #morbi #મોરબી