વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો


SHARE





મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પરા બઝારમાંથી મકાન લોન લીધેલ હતી અને લોન પુરી થયા છતા દસ્તાવેજ પરત નહી આપતા તેમણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા કોર્ટે હુકમ કર્યો હતો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દસ્તાવેજ પરત કરવો અને રૂપિયા ૧૦,૦૦૦ ખર્ચના આપવાના રહેશે.

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ તેનું મકાન સુમતીનગર, વાવડી રોડ પર હતું તેના ઉપર તા. ૧૬/૧૨/૨૩ ના રૂપિયા ૫,૦૦,૦૦૦ ની લોન લીધેલી તે તમામ રકમ તા. ૩/૧૨/૨૪ માં ભરપાઈ કરી આપેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એન.ઓ.સી. આપેલ પણ ફરીયાદીના મકાનનો અસલ દસ્તાવેજ પરત આપેલ નહીં. અને ફરીયાદીએ અવાર નવાર બેંકે ધક્કા ખાધા ત્યારે અંતે તેને એવું કહેવામાં આવ્યું કે તમારા મકાનના દસ્તાવેજની ફાઈલ ખોવાઈ ગયેલ છે. તેથી નહી મળતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ગ્રાહક કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જજ સાહેબે બેંકના અધિકારીને કહ્યું હતું કે ગ્રાહકે પૈસા ભરી આપેલ છે તમારે દસ્તાવેજની ફાઈલ આપવી જોઈએ. ગ્રાહકે મકાન વહેંચવું હોય, લોન લેવી હોય તો તે કેવી રીતે લઈ શકે. તમારી સેવામાં ખામી છે તમારાથી ફાઇલ ખોવાઈ કેમ ? તમારી જવાબદારી છે. માટે તમારી સેવામાં ખામી બદલ કોર્ટે દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાને દસ્તાવેજની નકલ બેંકના સ્વખર્ચે રજીસ્ટાર ઓફીસમાંથી કઢાવીને આપવી અને ખર્ચ પેટે રૂપિયા ૧૦,૦૦૦ ચુકવવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા પાસેથી જણાવ મળેલ છે.




Latest News