મોરબીમાં ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મી બહેનોના હસ્તે રાખડી બંધાવીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી
મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વની અધિકારીઓ સહિતનાઓની સાથે કરાઇ ઉજવણી
SHARE
મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વની અધિકારીઓ સહિતનાઓની સાથે કરાઇ ઉજવણી
મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં ફરજ બજાવતા અધિકારીને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજની સેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી તેમના પ્રત્યે સન્માન અને બંધુત્વ ની ભાવના વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના કર્મચારી, સિવિલ હોસ્પિટલના કર્મચારી, મહાપાલિકાના કર્મચારી, સબ જેલના કર્મચારી, યદુનંદન ગૌશાળાના સેવાભાવી ભાઈઓ, વૃદ્ધાશ્રમના વડીલો, મનોવિકલાંગ ભાઈઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પર્વ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, સ્નેહ, પરસ્પર સન્માન, સુરક્ષા અને એકતાની ભાવના વધુ મજબૂત બનાવતું પર્વ છે. આ ભાવનાને ઉજાગર કરતાં દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે બંધુત્વ ની ભાવના, સામાજિક એકતા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.









