માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE

















હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક લી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યાં પુરુષનું કોહવાઈ ગયેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કંકાલને બહાર કાઢીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મથક ગામે  રહેતા અસરફભાઈ હમીરભાઈ વડગામા જાતે મુસ્લિમે હળવદ પોલીસને જાણ કરી હતી કે હળવદ નજીકના ચરાડવા ગામ પાસે સમલી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં અજાણ્યા પુરૂષની લાશ પડી છે જેથી કરીને હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર જઈને તપાસ કરતાં મૃતક વ્યક્તિના શરીર ઉપર ચામડી હતી અને માત્ર કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ મૃતક વ્યક્તિના કંકાલને કેનાલમાથી કાઢી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને મૃત વ્યક્તિની ઓળખ મેળવવા માટેની હાલમાં હળવદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે




Latest News