મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા 


SHARE









મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા 

મોરબીથી ચરાડવા જતી કારને આડે ગાય ઉતરતા કાર રોડની નીચે ઉતારી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તેમજ અન્ય એક વૃધ્ધને ઈજા થઈ હોવાથી તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીથી ચરાડવા જતી કારની આડે ગાય આવી હતી જેથી કરીને કાર રોડ નીચેના ભાગમાં ઉતરી ગઈ હતી અને આ કારની અંદર બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નીલકંઠ પ્રસાદ સ્વામી (ઉંમર ૪૩) તેમજ પ્રાણજીવનભાઈ મોહનભાઇ માકાસણા (૭૦) ને ઈજાઓ થઈ હતી માટે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માનસર ગામે રહેતા સુરેશભાઇ ભીમાભાઇ બલદાણીયા (ઉંમર ૩૧) અને ધવલભાઈ ટીનાભાઇ બલદાણીયા (ઉંમર ૧૨) ને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંનેને મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદની અંદર રહેતા અનવરભાઈ પરમારના પત્ની રોશનબેન (ઉંમર ૫૦) ગાડીમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

 





Latest News