મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આજથી કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ મૂકવાનું શરૂ


SHARE

















મોરબી જીલ્લામાં આજથી કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ મૂકવાનું શરૂ

છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ત્યારે મોરબી જીલ્લામાં આજથી હેલ્થ કેર વર્કર્સ, ફ્રંટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુની ઉમરના કો–મોર્બીડીટી ધરાવતા લોકોને કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની શરુઆત થતાની સાથે જ મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના સેન્ટરો ઉપર કોરોના વેક્સિનના બીજા ડોઝના ૯ મહિના પુરા કરનાર લોકોએ વેક્સીન મૂકાવવા માટે લાઈનો લગાવી હતી

હાલમાં સમગ્ર દુનિયામાં કોવીડ–૧૯ ની ત્રીજી લહેર જોવા મળી રહી છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોની સલામતી માટે કોરોનાથી બચવા માટે કોરોના વેક્સીન મૂકવા માટે વડાપ્રધાનથી લઈને સરપંચ સુધીના પદાધિકારીઓ અને અધિકારીઓએ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને આજથી સરકારની સુચના મુજબ સમગ્ર ભારતમા હેલ્થ કેર વર્કર્સ ફ્રંટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી મોટી ઉમરના કો–મોર્બીડીટી ધરાવતા લોકોને વેક્સીનનો પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રીકોશન ડોઝ લેવા માટે મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના સેન્ટરો ઉપર લાઈનો લાગી હતી મોરબી જીલ્લામાં ૯૫૦૦ લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવશે




Latest News