માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE

















મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે ટ્રેનની હડફેટે આવી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની સ્ટેશન મસ્તરે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતકની ઓળખ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર રેલવે ટ્રેક ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે અંદાજે ૪૭ વર્ષનો યુવાન ટ્રેન હડફેટે આવી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવની મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્માએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના વાલીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરતાં અજીતસિંહ પરમાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતકનું નામ ગેલાભાઈ મંગળભાઈ ડાગશિયા (૪૭) રહે, મૂળ ખેડા જિલ્લાના મેલેજ ગામનો રહેવાસી અને હાલ મેગનમ સિરામિક લેબર કવાર્ટર રફાળેશ્વર મોરબી વાળો હોવાનું સામે આવેલ છે




Latest News