મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે ટ્રેનની હડફેટે આવી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની સ્ટેશન મસ્તરે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતકની ઓળખ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર રેલવે ટ્રેક ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે અંદાજે ૪૭ વર્ષનો યુવાન ટ્રેન હડફેટે આવી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવની મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્માએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના વાલીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરતાં અજીતસિંહ પરમાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતકનું નામ ગેલાભાઈ મંગળભાઈ ડાગશિયા (૪૭) રહે, મૂળ ખેડા જિલ્લાના મેલેજ ગામનો રહેવાસી અને હાલ મેગનમ સિરામિક લેબર કવાર્ટર રફાળેશ્વર મોરબી વાળો હોવાનું સામે આવેલ છે






Latest News