મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો મોરબીના રવાપર નજીક આવેલ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત: બોક્ડ થંભા નજીક પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન


SHARE











મોરબી : એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન

એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ,૨૦૨૨ એટલે કે શ્રી સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. 

પુસ્તક મેળાના આયોજનનો ઉદ્દેશ શ્રી સ્વામિ વિવેકાનંદ ના આદર્શો દ્વારા વિદ્યાર્થીઓનેને જીવનમાં સાચી દિશા મળી રહે તથા વિવિધ પુસ્તકો દ્વારા તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવો હતો.પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓએ પુસ્તક મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.પુસ્તકોના વાંચનથી મનનો કચરો સાફ થાય છે અને વિચારોને નવી દિશા મળે છે કારણકે પુસ્તકો આપણાં શ્રેષ્ઠ મિત્રો છે. સંસ્થાના પ્રેસિડેંટ શૈલેષ કલોલાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યુ હતુકે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા જ્ઞાન રૂપી પ્રકાશ મદદ કરે છે આથી પુસ્તકો વાંચવા જોઈએ.સંસ્થાના પ્રિન્સિપાલ મિતલ મેનપરાએ વિદ્યાર્થીઓને પુસ્તકમેળામાં હોંશભેર ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા.

 






Latest News