મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?


SHARE













મકરસંક્રાંતિપતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?

મકરસંક્રાંતિએ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. અને મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ છે પરંપરાઓ મુજબ, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ સાથે તમામ શુભ કાર્યો શરૂ થાય છે. જેમાં લગ્નથી માંડીને પૂજા સુધીની તમામ મંગળ કાર્યો મકરસંક્રાંતિથી શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને ધર્માદા જેવા કાર્યો વિશેષ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર દેશના ઘણા શહેરોમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. જેથી મકરસંક્રાંતિને પતંગ ઉત્સવ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નિમિત્તે બજારોને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યા છે. અને લોકો રંગબેરંગી પતંગ ઉડાવે છે. ત્યારે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું ધાર્મિક મહત્વ પણ છે એવું માનવામાં આવે છે કે, મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રીરામના સમયમાં શરૂ થઈ હતી. અને તમિલના રામાયણ અનુસાર મકરસંક્રાંતિના દિવસે શ્રીરામે પતંગ ઉડાવ્યો અને તે પતંગ ઇન્દ્રલોકમાં ગયો હતો અને ભગવાન રામ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ ચાલુ છે.






Latest News