મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?


SHARE

















મકરસંક્રાંતિપતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?

મકરસંક્રાંતિએ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. અને મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ છે પરંપરાઓ મુજબ, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ સાથે તમામ શુભ કાર્યો શરૂ થાય છે. જેમાં લગ્નથી માંડીને પૂજા સુધીની તમામ મંગળ કાર્યો મકરસંક્રાંતિથી શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને ધર્માદા જેવા કાર્યો વિશેષ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર દેશના ઘણા શહેરોમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. જેથી મકરસંક્રાંતિને પતંગ ઉત્સવ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નિમિત્તે બજારોને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યા છે. અને લોકો રંગબેરંગી પતંગ ઉડાવે છે. ત્યારે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું ધાર્મિક મહત્વ પણ છે એવું માનવામાં આવે છે કે, મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રીરામના સમયમાં શરૂ થઈ હતી. અને તમિલના રામાયણ અનુસાર મકરસંક્રાંતિના દિવસે શ્રીરામે પતંગ ઉડાવ્યો અને તે પતંગ ઇન્દ્રલોકમાં ગયો હતો અને ભગવાન રામ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ ચાલુ છે.




Latest News