મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વિરવિદરકા ગામે યુવાનની હત્યા બાદ ગુમ થયેલા આદિવાસી પરિવારની શોધખોળ


SHARE









માળીયા(મી)ના વિરવિદરકા ગામે યુવાનની હત્યા બાદ ગુમ થયેલા આદિવાસી પરિવારની શોધખોળ

માળીયા(મી)ના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી જેથી કરીને આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે જઈને લાશને પીએમ માટે ખસેડી હતી અને મૃતક યુવાન વીરવિદરકા ગામનો જ હોવાનું સામે આવ્યું હતું જેથી મૃતકના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરેલ છે અને જે જગ્યાએ હત્યા કરવામાં આવી છે ત્યાં રહેતો આદિવાસી પરિવાર ગુમ થયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં તેની શંકાના આધારે તપાસ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે અંગારના વાડા તરીકે ઓળખાતી જગ્યામાં યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી જેથી કરીને ગામના સરપંચ દ્વારા આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭) હોવાનું સામે આવ્યું હતું જેથી હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહેવિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વિરવિદરકા ગામે જે રોહિતભાઈની હત્યા કરવામાં આવી છે તેને હત્યારાએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા માર્યા હતા અને તેની હત્યા કરવામાં આવી છે આટલું જ નહીં હત્યાના આ બનાવ પછી ત્યાં રહેતા આદિવાસી હાલમાં સ્થળ ઉપર નથી જેથી કરીને પોલીસ અને પરિવારજનોએ તેની સામે શંકાની સોય તાંકીને તેને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે અને હત્યારો ઝડપશે પછી જ યુવાની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેની માહિતી સામે આવશે માળીયાનાં વિરવિદરકા ગામે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી છે તે બનાવમાં પોલીસે હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે જો કે, ગામના યુવાનની હત્યા કોણે કરી અને શા માટે કરી તે પ્રશ્નની ગુથી કયારે ઉકેલાશે તે પ્રશ્ન છ






Latest News